Fri,26 April 2024,5:12 am
Print
header

અભિનેત્રી પલ્લવી ડે એ કરી આત્મહત્યા, પંખા સાથે લટકતો મૃતદેહ મળ્યો- Gujarat post

કોલકત્તાઃ એક્ટ્રેસ પલ્લવી ડે પોતાના કોલકત્તા સ્થિત ઘરે મૃત અવસ્થામાં મળી  છે  23 વર્ષીય પલ્લવીનો મૃતદેહ ગળેફાંસો ખાધેલી હાલતમાં હતો, પોલીસે પ્રાથમિક તપાસ બાદ આ આત્મહત્યાનો કેસ હોવાનું જણાવ્યું છે. રવિવારે સવારે પલ્લવીનો મૃતદેહ ઘરમાં પંખાથી લટકતો મળ્યો હતો. પલ્લવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.

2017માં પલ્લવી ડેએ ટીવી સિરિયલ ‘અમી સિરાજર બેગમ’ માટે ઓડિશન આપ્યું હતું અને તેની પસંદ થઈ હતી.આ સિરિયલ બાદ પલ્લવી જાણીતી બની હતી. તેણે ‘રેશમ જપી’, ‘સરસ્વતી પ્રેમ’માં કામ કર્યું હતું. હાલમાં પલ્લવી ‘મોન માને ના’માં લીડ રોલ પ્લે કરતી હતી. સિરિયલમાં તે ગૌરીનું પાત્ર ભજવતી હતી. સિરિયલમાં સામ ભટ્ટાચાર્ય તથા અંજના બાસુ હતાં. અંજના સિરિયલમાં નેગેટિવ રોલમાં હતી.

એક દિવસ પહેલાં પલ્લવીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ શૅર કરી હતી. આ પોસ્ટ પરથી લાગતું હતું કે તે બહાર ક્યાંક જમવા ગઈ છે. આ પહેલાં 14મેના રોજ પલ્લવીએ વીડિયો પોસ્ટ કર્યો હતો. આ પોસ્ટમાં તે ગીત ગાતી જોવા મળી હતી.પલ્લવીની એક્ટિંગ અને તેના કેરેક્ટરને લોકો ખુબ પસંદ કરતા હતા. પલ્લવીના મોતના સમાચારથી અનેક સ્ટાર્સ અને ફેન્સમાં દુઃખની લાગણી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch