Tue,23 April 2024,5:28 pm
Print
header

ગુજરાતી અભિનેતા નરેશ કનોડિયાની તબિયતને લઈને આવ્યાં આ સમાચાર, જાણો વધુ વિગતો

અમદાવાદઃ ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા અને ભાજપના નેતા નરેશ કનોડિયાની તબિયતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કોરોના સંક્રમિત થયા બાદ યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી છે, જેમાં તેઓ ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યાં છે. તેમના પુત્ર અને ભાજપના ધારાસભ્ય હિતુ કનોડિયાએ તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા તેમના ચાહકોને અપીલ કરી છે.

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 77 વર્ષીય કનોડિયાની તબિયત લથડતા તેમને અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નરેશ કનોડિયાના પુત્ર હિતુ કનોડિયાએ મીડિયાને જણાવ્યું હતું કે નરેશ કનોડિયાને કોરોના વાયરસના લક્ષણો દેખાતા રિપોર્ટ કરાવ્યો હતો.સિટી સ્કેન દરમિયાન કોરોના વાયરસ હોવાનું સામે આવ્યું છે. જેને લઇને તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવી છે.

કોરોના વાયરસ સંક્રમણના કેસો ગુજરાતમાં સતત વધી રહ્યા છે.ગુજરાતી ફિલ્મોનું શૂટિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે, બીજી તરફ અત્યાર સુધી અનેક કલાકારો પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.આ પહેલા અનેક ફિલ્મ કલાકારો કોરોના વાયરસનો ભોગ બની ચૂક્યા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch