મુંબઈઃ નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ ડિવોર્સ માટે અરજી કરી છે. આલિયાએ ભરણપોષણની માગણી સાથે એક્ટર પર કેટલાક ગંભીર આક્ષેપો પણ કર્યાં છે. આલિયાના વકીલે એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમણે વ્હોટ્સએપ તથા ઈમેઈલ દ્વારા નવાઝને 7 મેના રોજ નોટિસ મોકલી હતી, પરંતુ હજી સુધી એક્ટરે જવાબ આપ્યો નથી.
કોવિડ 19ના સમયમાં સ્પીડ પોસ્ટ થઈ શકે તેમ નથી. આથી નોટિસ ઈમેલ તથા વ્હોટ્સ એપ પર મોકલવામાં આવી હતી. આટલું જ નહીં મિસિસ સિદ્દિકીએ તેમની રીતે પણ નવાઝને વ્હોટ્સએપ પર નોટિસ મોકલી હતી. જોકે, હજુ સુધી એક્ટરે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તેમને લાગે છે કે એક્ટર નોટિસ મુદ્દે શાંત રહેવા માગે છે, તેની અવગણના કરે છે. નોટિસમાં ડિવોર્સ અને ભરણ પોષણની માગણી કરવામાં આવી છે. તેઓ હાલમાં આ અંગે વધુ માહિતી આપી શકે તેમ નથી. જોકે, મિસિસ સિદ્દીકીએ નવાઝ તથા તેના પરિવાર પર ગંભીર પ્રકારના આક્ષેપો મૂક્યા છે.
નવાઝ તથા આલિયાના લગ્નને 11 વર્ષ થયા છે, તેમને બે બાળકો છે. વર્ષ 2017માં નવાઝ તથા આલિયાના લગ્નમાં ખટાશ આવી હોવાની ચર્ચા થતી હતી, પરંતુ તે વખતે કપલે ડિવોર્સની વાતને નકારી હતી.
આલિયાએ નામ બદલ્યું
આલિયાએ એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું કે તેમણે બે મહિના પહેલાં જ પોતાનું નામ આલિયામાંથી બદલીને અંજલી આનંદ કિશોર પાંડે કર્યું છે. હવે તે અંજલીના નામથી ઓળખાવવું પસંદ કરે છે. આલિયાએ દાવો કર્યો હતો કે લગ્નના એક વર્ષ બાદ એટલે કે વર્ષ 2010થી જ તેમની વચ્ચે પ્રોબ્લેમ્સ થયા હતાં. તેમણે લગ્નને બચાવવાનો પૂરતો પ્રયાસ કર્યો પરંતુ હવે વાત હાથની બહાર છે. મહત્વનું છે કે નવાઝ ટ્રાવેલ પાસ લઈને 11 મેના રોજ પોતાના ઉત્તર પ્રદેશના મુઝ્ફફરનગરના બુધના પોતાના ઘરે ગયો હતો.એક્ટરની સાથે તેના માતા, ભાઈ તથા ભાભી પણ હતાં.
વધુ સમાચારો માટે અમારા Facebook પેજને Like કરો
Facebook પેજની લિંક
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..
કિવી ખાવાથી મળે છે ચોંકાવનારા સ્વાસ્થ્ય લાભ, ઘણા રોગોને મટાડે છે, જાણો ક્યારે અને કેવી રીતે કરવું સેવન ? | 2024-03-28 08:50:50
આ નાના બીજ છે કોલેસ્ટ્રોલનો કાળ, માત્ર 7 દિવસ તેનું સેવન કરો, લોહીમાં એકઠી થયેલી ગંદકી સાફ થઈ જશે | 2024-03-27 10:05:33
બિગ બોસ વિજેતા મુનવ્વર ફારુકી હુક્કાબારમાં ઝડપાયો, મુંબઈ પોલીસે પાડ્યાં હતા દરોડા | 2024-03-27 09:19:17
જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો દરરોજ કાકડી, લીંબુ અને ફુદીનાનું બનેલું આ ડિટોક્સ પાણી પીવો | 2024-03-26 10:02:03
કેળા ખાવાથી પાચન સુધરે છે અને સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે, જાણો કઈ સમસ્યાઓમાં આ ફળ અસરકારક છે ? | 2024-03-25 08:54:46