Wed,24 April 2024,9:19 am
Print
header

યે રિશ્તા ક્યા કહેલાતા હૈની એક્ટ્રેસ દિવ્યા ભટનાગર (ગુલાબો) નું કોરોનાને લીધે નિધન, 11 દિવસથી હોસ્પિટલમાં હતી દાખલ

મુંબઇઃ ટીવી ઈન્ડસ્ટ્રીથી એક ખરાબ સમાચાર આવ્યાં છે. છેલ્લા કેટલાક સમયથી વેન્ટિલેટર પર મોત સામે ઝઝૂમી રહેલી દિવ્યા ભટનાગરનું નિધન થયું છે. 'સીરિયલ યે રિશ્તા ક્યા કહલાતા હૈ'માં ગુલાબોની ભૂમિકા ભજવનાર દિવ્યા કોરોના વાયરસથી પીડિત હતી. સ્થિતિ બગડ્યા બાદ તેને વેન્ટિલેટર પર શિફ્ટ કરાઈ હતી.દિવ્યા કોરોના વાયરસનો ભોગ બન્યા બાદ તેને ગોરેગાંવની એસઆરવી હોસ્પિટલ (SRV Hospital)માં એડમિટ કરવામાં આવી હતી. જો કે તેના ભાઇના મતે દિવ્યાનું કાર્ડિયાક અરેસ્ટના કારણે મોત થયું છે. 

દિવ્યાને 26 નવેમ્બરે મુંબઈની SRV હોસ્પિટલમાં એડમિટ કરી હતી. તબિયત વધારે બગડતાં તેને મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ સેવન હિલ્સમાં શિફ્ટ કરી હતી. દિવ્ય છેલ્લા ઘણા મહિનાઓથી પર્સનલ લાઈફને લીધે ટેન્શનમાં હતી.તેના લગ્ન જીવનમાં ઘણી તકલીફો હતી. દેવાશીષનું માનીએ તો દિવ્યાના પતિ સાથે સારા સંબંધો ન હતા. 

દિવ્યા ભટનાગરના નિધન પર સાથ નિભાના સાથિયા ફેમ દેબોલીના ભટ્ટાચાર્યે શોક વ્યક્ત કર્યો છે. તેણે ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે જ્યારે કોઈ કોઈની સાથે નથી હોતું ત્યારે બસ તું જ હતી. દિવુ તુ મારી પોતાની હતી, જેને હું વઢી શકતી હતી. રિસામણા લઈ શકતી હતી, દિલની વાત કરી શકતી હતી.મને ખબર છે કે તારું જીવન ખુબ મુશ્કેલીઓથી ભરેલુ હતું. તકલીફો વેઠવા લાયક ન હતી, પણ આજે મને ખબર છે કે તું એક સારી જગ્યાએ છે, તમામ તકલીફોથી દૂર. હું તને યાદ કરીશ દિવુ. તને ખબર હતી કે હું તને ઈચ્છતી હતી અને પ્રેમ કરતી હતી. તુ મોટી હતી પણ બાળકી પણ તુ જ હતી. તારા આત્માને ભગવાન શાંતિ આપે. તું જ્યાં પણ હોય બસ ખુશ રહે. તું હંમેશા યાદ આવીશ. આઈ લવ યુ. તુ બહુ જલદી જતી રહી. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/G

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch