Wed,24 April 2024,7:32 pm
Print
header

BIG NEWS: ફરીથી આમિર ખાનના લગ્ન તૂટ્યાં, કિરણ રાવ સાથે લગ્નના 15 વર્ષ બાદ લેશે તલાક

મુંબઈઃ બોલિવૂડના મિસ્ટર પરફેકનિસ્ટ તરીકે જાણીતા આમીર ખાને પત્ની કિરણ રાવથી તલાક લેવાનો નિર્ણય લીધો છે. બંને 15 વર્ષના લગ્નજીવન બાદ છૂટા પડશે. આ અંગે તેમણે એક સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે. જેમાં લખ્યું છે કે અમે જિંદગીનું નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યાં છીએ. પતિ-પત્ની તરીકે સાથે નહીં રહીએ પણ કો-પેરેન્ટ્સ અને ફેમિલી તરીકે એકબીજાની સાથે રહીશું.

ઉપરાંત તેમણે એમ પણ જણાવ્યું છે કે, આ 15 ખૂબસુરત વર્ષોમાં અમે સાથે જીવનનો ભરપૂર આનંદ અને ખુશી શેર કરી છે. અમારો સંબંધ માત્ર વિશ્વાસ, સન્માન અને પ્રેમમાં વધ્યો છે. અમે જીવનમાં નવો અધ્યાય શરૂ કરવા ઈચ્છીશું. પતિ-પત્ની તરીકે નહીં પણ સહ માતા-પિતા અને પરિવાર તરીકે. અમે થોડા સમય પહેલા જ અલગ થવાનું પ્લાનિંગ શરૂ કર્યુ હતું. હવે આ વ્યવસ્થાને ઔપચારિક રૂપ આપી રહ્યાં છીએ.

અમે અલગ-અલગ રહેવા છતાં પોતાના જીવનને એક પરિવારની જેમ શેર કરીશું. અમે અમારા દિકરા પ્રત્યે સમર્પિત રહીશું, જેનુ પાલન-પોષણ અમે મળીને કરીશું. અમે ફિલ્મો, ફાઉન્ડેશન તથા અન્ય યોજનાઓ પર સહયોગી તરીકે કામ કરવાનું ચાલુ રાખીશું. નોંધનિય છે કે આમિર ખાનના આ બીજા લગ્ન હતા 15 વર્ષ પહેલા પણ તેના એક વખત છૂટાછેડા થઇ ચુક્યા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch