Wed,15 July 2026,12:51 am
Print
header

આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં

  • Published By Panna Patel
  • 2026-07-08 16:36:55
  • /

ઉત્તર પ્રદેશઃ રામ મંદિરમાં ચઢાવાની ચોરીને લઈને દેશની જનતા સરકારને સવાલો કરી રહી છે, ત્યાં તો આ જ કૌભાંડીઓનું નવું એક કૌભાંડ સામે આવ્યુંં છે.

હવે, રામ મંદિરના નામે નકલી રસીદો જારી કરવાનો નવો કેસ સામે આવ્યો છે. આરોપીઓ આ બનાવટી રસીદોનો ઉપયોગ કરીને દાતાઓ પાસેથી પૈસા પડાવતા હતા.

આખો મામલો શું છે ?

આરોપીઓ પાસેથી મળેલી માહિતીને આધારે રામ મંદિરના નામે બનાવવામાં આવેલી દાનની એક જૂની અને નકલી રસીદ બુક પણ મળી આવી છે. તપાસ દરમિયાન આરોપીઓએ માત્ર દાનની રકમની ચોરી કરવાની જ નહીં, પરંતુ દાતાઓ પાસેથી પૈસા પડાવવા માટે વારંવાર રસીદો આપવાની વાત પણ કબૂલી છે.

જૂની રસીદ બુક મળી આવી

આરોપીઓ પાસેથી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની એક જૂની રસીદ બુક પણ મળી આવી છે. જ્યારે પણ કોઈ વ્યક્તિ મંદિર માટે દાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતી, ત્યારે કોઈને શંકા ન જાય તે માટે ટીન્નુ યાદવ, લવ કુશ, કરુણેશ અનુકલ્પ અને અન્ય ધરપકડ કરાયેલા વ્યક્તિઓ આ રસીદો આપતા હતા. પોલીસ હવે આ રસીદોની ચકાસણી કરી રહી છે.

પોલીસ આરોપીઓને તેમના છુપાયેલા સ્થળે લઈ ગઈ

રામ મંદિરમાંથી ચઢાવાની ચોરી અંગેની તપાસ ઝડપથી આગળ વધી રહી છે. પોલીસ અનુલ્પ મિશ્રા, લવ કુશ મિશ્રા અને કરુણેશ પાંડેને તેમના છુપા સ્થળે લઈ ગઈ હતી. આ ત્રણેય આરોપીઓ પાસેથી ચોરીની સામગ્રી કબ્જે કરવાના પ્રયાસો ચાલી રહ્યાં છે. આરોપીઓની બેંકમાં જમા કરાવવામાં આવેલી રકમ અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે. ચોરીની રકમનો ઉપયોગ કરીને તેમણે ખરીદેલી સંપત્તિ વિશે પણ તપાસ કરવામાં આવી રહી છે.

જેલમાં પાંચ આરોપીઓની પૂછપરછ

પોલીસ અનુલ્પ મિશ્રા દ્વારા તાજેતરમાં ખરીદવામાં આવેલી મિલકતો પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. તેઓ તેના નવા ઘર અને વાહન અંગે તેની પૂછપરછ કરશે અને જરૂર પડશે તો આ સ્થળોની તપાસ કરવામા આવશે. અગાઉ, પોલીસે જેલમાં 5 આરોપીઓની પૂછપરછ કરી હતી.જેમાં અનેક મહત્વની બાબતો સામે આવી હતી. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch