બાળકી સાથે કોઇ ક્રૂરતા કરવામાં આવતા તેનું મોત થઇ ગયું
9 વર્ષની બાળકીનું મોત થતા પરિવાર આઘાતમાં
નવી દિલ્હીઃ ઉત્તર પૂર્વ દિલ્હીના થાણા દયાલપુર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં એક ફ્લેટમાં 9 વર્ષની માસૂમ બાળકી લોહીથી લથપથ સુટકેસમાં મળી હતી. બાળકી લગભગ બે કલાક સુધી સુટકેસમાં હતી. પરિવારને આ વાતની જાણ થતાં જ તેમણે તેને હોસ્પિટલમાં દાખલ કરી હતી. જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. એવી શંકા છે કે બળાત્કાર બાદ બાળકીને સુટકેસમાં ભરીને ફ્લેટમાં છોડી દેવામાં આવી હતી.
બાળકી તેની મોટી માતાને બરફ આપવા માટે ઘરેથી નીકળી હતી. પરંતુ બે કલાક પછી પણ તે ઘરે પાછી ન આવી. જે બાદ માસૂમ બાળકીના પિતાએ તેની શોધ શરૂ કરી અને કોઈએ તેમને જાણ કરી કે બાળકી તેમના ઘરથી લગભગ 200 મીટર દૂર આવેલા એક ફ્લેટ તરફ જતી જોવા મળી છે.
જ્યારે બાળકીના પિતા તે ફ્લેટના બીજા માળે પહોંચ્યા, ત્યારે ફ્લેટનો મુખ્ય દરવાજો બહારથી બંધ હતો. જ્યારે બાળકીના પિતા ફ્લેટનું તાળું તોડીને અંદર ગયા ત્યારે તેમણે જોયું કે બાળકી એક સુટકેસમાં બેભાન અવસ્થામાં પડી હતી, તેના શરીર પર કોઈ કપડાં ન હતા, આ પછી બાળકીના પિતા તાત્કાલિક તેને નજીકની નર્સિંગ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
આ માહિતી મળતાની સાથે જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે. હાલમાં પોલીસે બાળકીના મૃતદેહને ગુરુ તેગ બહાદુર હોસ્પિટલના શબઘરમાં રાખ્યો છે અને આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે. આરોપીઓને શોધવા માટે 6 ટીમો બનાવવામાં આવી છે. ધરપકડ માટે મોડી રાત્રે હાપુડ, પિલખુવા અને ઉત્તર પૂર્વ દિલ્હીમાં દરોડા પાડવામાં આવ્યાં હતા.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
વિમાન દુર્ઘટનામાં 125 પીડિતોની ઓળખ DNA ટેસ્ટ દ્વારા કરવામાં આવી, 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા | 2025-06-17 08:56:53
ACB ની મોટી કાર્યવાહી, 50 હજારની લાંચ લેતા ક્લાર્ક રંગેહાથ ઝડપાયો | 2025-06-17 08:43:35
પૂ્ર્વ સીએમ સ્વ. વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર અપાયુ્ં, અંતિમ યાત્રામાં ઉમટી ભીડ | 2025-06-16 20:07:39
અસુરક્ષિત આપણું ગુજરાત..! લૂંટારાઓએ PI નાં માતા-પિતાની કરી ક્રૂર હત્યા, ચહેરા તીક્ષ્ણ હથિયારથી ચીરી નાખ્યાં, માતાના પગ કાપીને કડલાં લૂંટી લીધા | 2025-06-16 14:05:29
શું ઈરાનના મિસાઈલ હુમલામાં અદાણીના હાઈફા પોર્ટને નુકસાન થયું છે ? જાણો કંપનીએ શું કહ્યું - Gujarat Post | 2025-06-16 10:53:26
પુણેમાં ઈન્દ્રાયણી નદી પરનો પુલ તૂટી પડ્યો, 4 લોકોના મોત | 2025-06-15 16:54:48
કેદારનાથ નજીક હેલિકોપ્ટ ક્રેશઃ એક ગુજરાતી સહિત 7 યાત્રિકોનાં મોત - Gujarat Post | 2025-06-15 11:41:01
અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડન મંત્રીની બેઠક, ડીજીસીએના અધિકારીઓ રહેશે ઉપસ્થિત- Gujarat Post | 2025-06-14 10:59:46
રાજા રઘુવંશી હત્યા કેસઃ સોનમે શેનું ટેટૂ બનાવ્યું હતું ? જાણો શું હતો તેનો અર્થ- Gujarat Post | 2025-06-12 10:38:39
ઈરાનમાં ખતરનાક તણાવ વચ્ચે ભારતીય વિદ્યાર્થીઓની સરકારને વિનંતી, ઝડપથી પાછા લાવવાની વ્યવસ્થા કરો, ત્રણ દિવસથી ઉંઘ પણ નથી આવી | 2025-06-16 10:46:26
ઈરાન ટ્રમ્પની હત્યા કરવા માંગે છે...નેતન્યાહૂએ જણાવ્યું કે ખામેનીએ અમેરિકન રાષ્ટ્રપતિને મારવાનું કાવતરું કેમ ઘડ્યું છે ? | 2025-06-16 08:46:22