Wed,24 April 2024,11:34 am
Print
header

સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post

(file photo)

રાજકોટઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે પક્ષપલટાની  મોસમ જામી છે.તાજેતરમાં જ કોંગ્રેસ સાથે છેડો ફાડીને રાજીનામું આપનાર કોંગ્રેસના નેતા નરેશ રાવલ અને પૂર્વ સાંસદ રાજુ પરમારે કેસરીયો ધારણ કરશે. આ બંનેએ પીએમ મોદી સાથે દિલ્હીમાં મીટિંગ કરી હતી. દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે.સૌરાષ્ટ્રના કોંગ્રેસના 6 MLA ગમે ત્યારે પંજાનો સાથ છોડીને કેસરિયા કરી શકે છે.

17 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્ર કોંગ્રેસમાં નવાજૂનીના સંકેત દેખાઇ રહ્યાં છે. કોંગ્રેસના કેટલાંક ધારાસભ્યો કન્ફર્મ ટિકિટ સાથે ભાજપમાં જોડાશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મજબૂત બેઠકના MLAની વિકેટ પાડવા વ્યૂહનીતિ તૈયાર કરી દેવાઇ છે. ઉત્તર ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં ભાજપનું ઓપરેશન ચાલી રહ્યું છે.ભાજપના મોટા નેતાઓની હાજરીમાં કોંગ્રેસના MLA ભાજપમાં જોડાઇ શકે છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક પછી એક ઝટકા લાગી રહ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch