રાજકોટઃ વન વિભાગને રાજકોટના જાણીતા ખેતલાબાપા મંદિરમાં સેન્ડબુઆ સાપ રાખવામાં આવ્યાં હોવાની જાણકારી મળી હતી. જ્યારે વન વિભાગ મંદિરમાં તપાસ માટે પહોંચ્યું તો અંદરથી એક પછી સાપના ઢગલા થવા લાગ્યા અને વન વિભાગને મંદિરમાંથી 52 સાપ મળી આવ્યાં હતા. આ સાપ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 2માં સંરક્ષિત છે.
આ હેઠળ, મંદિરના મહંત મનુભાઈ દુધરેજીયા સામે ગુનો નોંધી તેમની અટકાયત કરવામાં આવી હતી. ત્યાર બાદ તેમનું નિવેદન નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં હતા. હાલ આ તમામ 52 સાપને જંગલ વિસ્તારમાં છોડવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.
વન વિભાગની પ્રાથમિક તપાસમાં મહંત પોતે સ્નેક હેન્ડલર એટલે કે સાપના જાણકાર હોવાનું અને ધાર્મિક આસ્થા સાથે મંદિરમાં સાપ રાખતા હોવાનું સામે આવ્યું હતું. વન વિભાગની તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, મહંત દ્વારા કોઈ તસ્કરી કે ચીટિંગ કરવામાં આવતી ન હતી.
રાજકોટ જિલ્લા વન વિભાગના DCF યુવરાજસિંહ ઝાલાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમને જાણકારી મળી હતી કે રાજકોટના ગ્રીનલેન્ડ ચોક નજીક ખેતલાબાપા મંદિર ખાતે કોમન સેન્ડ બુઆ કે જે રસલ સેન્ડ બુઆના નામે પણ ઓળખાય છે, તેવા 50થી વધુ સાપ રાખવામાં આવેલા છે. જેથી સ્થળ પર પહોંચી તપાસ કરતા ત્યાંથી 52 જેટલા સાપ મળી આવ્યાં હતા.આ સાપ વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ શિડ્યુલ 2માં સંરક્ષિત છે. કાયદાકીય સંરક્ષણ મળેલું હોવાથી રાજકોટ રેન્જ દ્વારા ગુનો નોંધાવામાં આવ્યો છે અને મંદિરના મહંત મનુભાઈ દુધરેજીયા સામે કાયદાકીય કાર્યવાહી કરી તેમનું નિવેદન નોંધી તેમને જામીન પર મુક્ત કરવામાં આવ્યાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો તપાસમાં અન્ય કોઈ લોકોની સંડોવણી ખુલશે તો તેમની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાયે મહંતને પૂછપરછ માટે બોલાવવામાં પણ આવી શકશે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુરોપના નામે લીબિયા લઇ ગયા: મહેસાણાનો પરિવાર બંધક, એજન્ટોએ માંગી રૂ. 2 કરોડની ખંડણી | 2025-12-12 19:05:17
અમદાવાદમાં લાગી આગ, સાયન્સ સિટીમાં 50 લોકોને બચાવી લેવાયા | 2025-12-12 18:46:49
મનરેગાનું નામ બદલીને પૂજ્ય બાપુ ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના થશે, કેબિનેટમાં મંજૂરી | 2025-12-12 18:41:25
વીડિયો દ્વારા વિશ્વાસ જીત્યો.. શેરબજારમાં મોટી કમાણી કહીને વૃદ્ધ પાસેથી 2.52 કરોડ રૂપિયા પડાવી લીધા | 2025-12-12 17:59:47
કફ સિરપ કેસમાં ED એ અમદાવાદ સહિત દેશભરમાં 25 સ્થળોએ દરોડા પાડ્યાં, રૂ.1000 કરોડથી વધુનું ગોરખધંધો | 2025-12-12 10:52:52
જામનગરઃ પત્નીના લિવ-ઇન પાર્ટનરને બજારમાં જોતા જ ઉશ્કેરાયેલા પૂર્વ પતિએ તેની હત્યા કરી નાખી | 2025-12-12 10:19:18
રાજકોટની સનસનીખેજ ઘટના, વિદેશ જવા માટે દીકરાએ પિતાની જ કરાવી હત્યા | 2025-12-12 09:59:52
આટકોટ દુષ્કર્મ કેસ: પોલીસે નરાધમને પગમાં ગોળી મારી, આરોપી રામસિંહે કહ્યું - મારાથી ભૂલ થઈ ગઈ | 2025-12-11 19:15:44
રાજકુમાર જાટ કેસ: આરોપી ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ થયો | 2025-12-11 19:08:02
ગુજરાતમાં દિલ્હીની નિર્ભયા જેવી ઘટના, 6 વર્ષની બાળકી પર ક્રૂરતા આચરી, ગુપ્ત ભાગમાં સળિયો ઘુસાડ્યો | 2025-12-10 09:04:34