નાંદેડ: મહારાષ્ટ્રના નાંદેડમાં જિલ્લાના માહુર શહેરમાં તીર્થયાત્રા દરમિયાન પ્રસાદ ખાધા બાદ 52 ભક્તોને ફૂડ પોઈઝનીંગની અસર થઇ છે. આ 52 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે, જેમાંથી 4ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
તીર્થધામ માહુર શહેરમાં ઠાકુર બુવા યાત્રા ચાલુ છે. આ યાત્રા માટે એકાદશીના રોજ મહારાષ્ટ્રના જુદા જુદા ભાગમાંથી મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી પુરાવી હતી. આ દરમિયાન શનિવારે એકાદશીનો ઉપવાસ હોવાથી રાતના 8 વાગ્યાની આસપાસ ભક્તોને પ્રસાદરૂપે સામો આપવામાં આવ્યો હતો. પ્રસાદ ખાધા બાદ મધરાતે એક પછી એક ભક્તોને ઉલટી અને જુલાબનો ત્રાસ થવા લાગ્યો હતો. થોડી જ વારમાં પીડીતોની સંખ્યા વધવા માંડી હતી અને લગભગ 52 લોકોને સ્થાનિક હોસ્પિટલમાં તરત જ લઈ જવાની ફરજ પડી હતી. જેમાંથી 4 લોકોની હાલત ઘણી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
શરમજનક ઘટના...રાજકોટ હોસ્પિટલમાં પ્રસુતાના વાયરલ વીડિયો કેસની તપાસનો ધમધમાટ, આરોપીઓ સામે થશે કડક કાર્યવાહી- Gujarat Post | 2025-02-19 12:16:50
સુરતના માંડવી-ઝંખવાવ રોડ પર અકસ્માતમાં 4 લોકોનાં મોત - Gujarat Post | 2025-02-19 12:12:27
અમેરિકાએ ડિપોર્ટ કરેલા લોકોનો વીડિયો કર્યો શેર, વિવાદના એંધાણ- Gujarat Post | 2025-02-19 12:09:31
આજથી ગુજરાતના બજેટ સત્રની શરૂઆત, પોલીસ છાવણીમાં ફેરવાયું પાટનગર- Gujarat Post | 2025-02-19 12:05:41
PNB સાથે 271 કરોડ રૂપિયાની નવી છેતરપિંડીનો ખુલાસો, બેંકે RBI સાથે વિગતો શેર કરી | 2025-02-19 08:54:43
અમેરિકાથી 119 ભારતીયોને લઈને આવેલું પ્લેન અમૃતસર ઈન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યું, 8 ગુજરાતીઓનો સમાવેશ | 2025-02-16 09:26:05
નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર નાસભાગમાં 18 લોકોનાં મોત, સૌથી વધુ 9 બિહારના, 8 દિલ્હીના લોકોનાં મોત | 2025-02-16 08:47:12
Fact Check News: દિલ્હીમાં ચૂંટણી પરિણામો બાદ મેટ્રોના ભાડામાં વધારો થયો હોવાનો આ દાવો ખોટો છે | 2025-02-15 10:13:20
મહાકુંભમાં જતા શ્રદ્ધાળુઓનો મિર્ઝાપુર-પ્રયાગરાજ હાઈવે પર ભયાનક અકસ્માત, 10 લોકોનાં મોત, 19 ઘાયલ | 2025-02-15 08:55:44