Fri,19 April 2024,11:04 am
Print
header

કોરોનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોને આ રાજ્ય સરકાર આપશે રૂ. 5 હજારનું પેન્શન

ભોપાલઃ મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોરોના કહેર વચ્ચે મોટી જાહેરાત કરી હતી. કોરોનામા જે પણ બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યાં છે તે બધા જ બાળકોની મદદ અને દેખભાળ હવે રાજ્ય સરકાર કરશે, સાથે જ રાજ્યના દરેક આવા બાળકોને રૂપિયા 5 હજારનું પેન્શન આપશે, માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોની અભ્યાસની જવાબદારી રાજ્ય સરકાર લેશે.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જાહેરાત કરી હતી કે બીજા ગરીબ પરિવારોને મફતમાં અનાજ આપવામાં આવશે. સાથે જ જે પરિવારો સરકારી યોજનાની યાદીમાં નથી આવતા તે લોકોને પણ અનાજની કીટ મફતમાં આપવામાં આવશે. આગળ તેમણે કહ્યું કે જે દીકરીઓનાં પરિવાર વાળા કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે તે દરેક દીકરીઓને સરકાર પોતાની ગેરંટી લઈ વગર વ્યાજે ધિરાણ આપવામાં મદદ કરશે, જેથી તેઓ પોતાનો વ્યવસાય પણ ચલાવી શકે. કેટલાક માસૂમ બાળકોએ પોતાના માતા-પિતા ગુમાવ્યાં છે, તેવા બાળકોને જિંદગીમાં આગળ વધવા માટે અને તેમને પૂરતી મદદ કરવા માટે સરકાર આ મોટા નિર્ણયો લઈ રહી છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch