Fri,19 April 2024,1:15 pm
Print
header

રાજ્યમાં વણથંભ્યો અકસ્માતનો સિલસિલો, બે અકસ્માતમાં 5 લોકોનાં કરૂણ મોત- Gujarat Post

(જામનગરના ધ્રોલ નજીક અકસ્માત સર્જાયો)

અમદાવાદઃ ગુજરાતમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે બે અલગ અલગ ઘટનાઓમાં પાંચ લોકોના કરૂણ મોત થયા છે. જામનગરના ધ્રોલના લતીપુર નજીક કાર અને આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં ત્રણ લોકના મોત થયા છે. આજે સવારે બનેલી ઘટનામાં કારમાં સવાર ત્રણ લોકોના મોત થયા હતા. લતીપુર નજીક આવેલ ગોકળપર ગામના પાટિયા નજીક ઘટના બની હતી.

બીજી ઘટના પાટણ જિલ્લામાં બની હતી. પાટણના હારીજ-સમી હાઇવેના મુજપુર પાસે બાઈક અને છોટા હાથી વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત થયા હતા. બંને મૃતકો શંખેશ્વલ તાલુકાના રહેવાસી છે. અકસ્માતમાં બાઈક ચાલક તેમજ છોટાહાથી વાનમાં સવાર ચાલકનું મોત થયું છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગઈકાલે ચીખલી નજીક અકસ્માત સર્જાયો હતો. આલીપોર બ્રિજ ઉપર કન્ટેનર અને ઈનોવા કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઈનોવા કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch