Wed,24 April 2024,1:33 pm
Print
header

ગુજરાતમાં આગામી પાંચ દિવસ ફરી જામશે વરસાદી માહોલ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના- Gujaratpost

માછીમારોને 8-9 ઓગસ્ટે દરિયો ન ખેડવા સૂચના

સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી 

ગાંધીનગરઃ રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રીય થઈ છે, હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. રવિવારે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. સોમવારે અમરેલી, બોટાદ, ભાવનગર, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.માછીમારોને 8 અને 9 ઓગસ્ટના રોજ દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગના મતે ભારે વરસાદની સાથે 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, વરસાદની એક સિસ્ટમ સક્રિય બની છે, મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. માછીમારોને 8 અને 9 ઓગસ્ટે દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સાથે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch