મહારાષ્ટ્રઃ જલગાંવ જિલ્લામાં મંગળવારે સવારે થયેલા માર્ગ અકસ્માતમાં પાંચ ગુજરાતીઓના ઘટના સ્થળે જ મોત થયા છે. અમલનેર તાલુકાના માંગરુલ વિસ્તારમાં કાર, એક મોટરસાઇકલ અને બસ સામ સામે અથડાયા હતા. મૃતકો ગુજરાતથી સગાઈ સમારોહમાં હાજરી આપવા માટે જઈ રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેના કારણે તેમનો આનંદ શોકમાં ફેરવાઈ ગયો હતો. સ્થાનિક ગ્રામજનોએ તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી, પોલીસ અને તબીબી ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ઘાયલોને મદદ કરવાનું શરૂ કર્યું હતું.
માંગરુલમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો
જલગાંવ જિલ્લાના અમલનેર તાલુકાના માંગરુલ વિસ્તારમાં સવારે આ મોટો અકસ્માત થયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં અનુસાર, એક કાર, એક મોટરસાઇકલ અને રાજ્ય પરિવહન બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી, જેના કારણે અફડાતફડી મચી ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે પાંચ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. વાહનોને થયેલા ભારે નુકસાન પરથી અકસ્માતની ગંભીરતાનો અંદાજ આવી જાય છે.
લોકો સગાઈ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા
પ્રાથમિક માહિતી મુજબ, પીડિતો ગુજરાતથી સગાઈ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યાં હતા. જો કે, રસ્તામાં તેમનું વાહન અકસ્માતનો ભોગ બન્યું અને આખો પરિવાર આ દુર્ઘટનામાં મોતને ભેટ્યો હતો. ઘટના બાદ તરત જ માંગરુલ ગામના સ્થાનિક લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘાયલોને બહાર કાઢવા અને રાહત કાર્ય શરૂ કરવાની કામગીરી હાથધરી હતી.
મૃતકોની ઓળખ આદિત્ય ચંદ્રકાંત મહાજન, અનિતા સુરેશ મહાજન, નિર્મલા નંદલાલ મહાજન, નંદલાલ ગોપાલ મહાજન અને સુરેશ વિક્રમ મહાજન તરીકે થઈ છે, જેઓ બધા ગુજરાતના વ્યારાના રહેવાસી છે. અહેવાલ મુજબ તેઓ અમલનેરમાં એક સગાઈ સમારોહમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
વહીવટીતંત્ર મૃતકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. બધા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યાં છે, અને પરિવારજનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. પોલીસે ગુનો નોંધીને અકસ્માતના કારણની તપાસ શરૂ કરી છે.
જૂનાગઢ સક્કરબાગ ઝૂમાં વાઘની પજવણી કરનારા બે ઝડપાયા | 2026-07-14 18:41:23
પૂર્વ અંડર સેક્રેટરી RVS મણિનો દાવો, ભારત પ્રવાસે આવતી વખતે પાકિસ્તાની ક્રિકેટરો અને ડેલિગેશન લાવતા હતા ડ્રગ્સનો જથ્થો | 2026-07-14 18:21:29
સુરતમાં દુષ્કર્મ પીડિતાનો કેસ લડતા વકીલે જ સગીરા પર દુષ્કર્મ આચર્યુ, વીડિયો ઉતારીને બ્લેકમેઈલ પણ કરી | 2026-07-14 18:05:18
Breaking News: ગુજરાત ATS નું મોટું ઓપરેશન, સિદ્ધપુરમાંથી 5 સંદિગ્ધ આતંકીઓની ધરપકડ, જૈશ-એ-મોહમ્મદ સાથેના સંબંધોની તપાસ શરૂ | 2026-07-14 12:07:21
ઈરાનનો હોર્મુઝમાં બે ટેન્કરો પર મિસાઈલ હુમલો, 1 ભારતીયનું મોત, અન્ય 8 ઘાયલ | 2026-07-14 09:13:04
વિજ્ઞાન જાથાના વિવાદથી કંટાળીને અંબાલાલ પટેલે કહ્યું હવે હવામાનની આગાહી નહીં કરું, બીજા દિવસે નિર્ણય બદલી નાખ્યો | 2026-07-13 16:54:43
Fact Check: શું ગુજરાતમાં મુખ્યમંત્રી બાળ આશીર્વાદ યોજના નામની કોઈ સ્કીમ છે ? જાણો સરકારનો જવાબ | 2026-07-13 16:49:15
Fact Check: પત્નીએ પતિની હત્યા કરીને મૃતદેહને ગેસ સિલિન્ડરમાં ભરી દીધો ! જાણો વાયરલ વીડિયોનું સત્ય | 2026-07-12 15:41:22
કેજરીવાલે પેટ્રોલનો ભાવ રૂપિયા 82 પ્રતિ લિટર કરવા કરી માંગ, મોદી સરકાર પર કર્યા પ્રહાર | 2026-07-09 18:07:04
આ નવું આવ્યું...રામ મંદિરના નામે બનાવટી રસીદોનું કૌભાંડ, દાતાઓ પાસેથી પૈસા પડાવ્યાં | 2026-07-08 16:36:55
રામ મંદિરને લૂંટવાનું ષડયંત્ર, અંતે ચંપત રાયનું રાજીનામું સ્વીકારી લેવાયું | 2026-07-07 17:52:06
જંગલના એક રિસોર્ટમાં સેક્સ રેકેટનો પર્દાફાશ, નૈનીતાલમાં 52 પુરુષો, 10 મહિલાઓ આપત્તિજનક હાલતમાં પકડાયા | 2026-07-06 19:14:09