અચાનક મકાન ધરાશાયી થતાં સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી
કાટમાળ નીચે દબાઈ જતાં ત્રણ લોકોનાં મોત
ગીર સોમનાથઃ ગીર સોમનાથમાં મોડી રાત્રે એક ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં લગભગ 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું રહેણાક મકાન અચાનક ધરાશાયી થયું હતું. આ ઘટનામાં માતા-પુત્રી સહિત કુલ ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યાં હતા.
ખારવાવાડ વિસ્તારમાં આવેલું આ જર્જરિત મકાન રાત્રિના સમયે ધસી પડ્યું હતું. મળતી વિગત મુજબ, કાટમાળ નીચે દબાઈ જવાથી ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મૃતકોમાં એક જ પરિવારના દેવકીબેન શંકરભાઈ સુયાની અને તેમના પુત્રી જશોદાબેન શંકરભાઈ સુયાનીનો સમાવેશ થાય છે. મકાનની નીચે ઊભેલા એક બાઈકસવાર વ્યક્તિ દિનેશ જુંગી પણ કાટમાળ હેઠળ દબાઈ ગયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું.
દુર્ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર ફાઇટર, પોલીસ, નગરપાલિકાની ટીમ તેમજ સ્થાનિક ખારવા સમાજના આગેવાનો અને યુવાનોની ટીમો ઘટના સ્થળે ધસી ગઈ હતી. રાત્રે શરૂ થયેલું બચાવ અને રાહત કાર્ય સવારના 4.30 વાગ્યા સુધી સતત ચાલ્યું હતું. સખત મહેનત બાદ બચાવ ટુકડીઓએ કાટમાળ હટાવીને ત્રણેય મૃતદેહોને બહાર કાઢ્યા હતા. સદભાગ્યે, મકાનમાં રહેલા અન્ય બે વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
અંકલેશ્વરમાં મૌલવીએ સુગંધી પાણી પીવડાવી મહિલા પર દુષ્કર્મ આચર્યું; ધર્માંતરણ માટે ધમકી | 2025-11-14 18:43:29
કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે મહત્વની જાહેરાત, સહાય માટે આ તારીખથી કરી શકશે ઓનલાઇન અરજી | 2025-11-13 16:00:39
અત્યાર સુધી સરકાર ઊંઘમાં હતી ! અગાઉના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતીઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનશેરિયાને મળી ! | 2025-11-13 10:30:44
રાજકોટમાં બેકાબૂ BMW એ ટુ-વ્હીલરને ટક્કર મારતા યુવાનનું મોત, કાર ચાલકે પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું | 2025-11-10 16:26:23
અમરેલીમાં ભાજપને ફટકો, ખેડૂત પેકેજથી નારાજ ચેતન માલાણીએ રાજીનામું આપ્યું | 2025-11-08 13:15:55
Acb ટ્રેપઃ મોરબીમાં PGVCL ના નાયબ ઇજનેર આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-11-08 09:42:03
અમરેલીમાં સહાયની રાહ જોતાં ખેડૂતોનો આક્રોશ: બગડેલો પાક સળગાવ્યો | 2025-11-07 19:30:56