Wed,14 May 2025,2:34 pm
Print
header

પ્રાંતિજની મદરેસામાં માસૂમો પર અત્યાચાર, ત્રણ શિક્ષકો વિરુદ્ધ માર મારવાનો અને ગોંધી રાખવાનો કેસ દાખલ થયો

હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં સગીર વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના આરોપમાં 3 મદરેસાના શિક્ષકોની ધરપકડ કરવામાં આવી છે. શિક્ષકો પર વિદ્યાર્થીઓને માર મારવાનો અને તેમને કેમ્પસમાં ગોંધી રાખવાનો આરોપ છે. ફરિયાદી16 વર્ષનો છે. આ મદરેસાના 31 અન્ય સગીર વિદ્યાર્થીઓ બિહારના છે.

શું છે આખો મામલો ?

આ ઘટના પ્રાંતિજ શહેરમાં બની હતી. અહીં પોલીસે 3 મદરેસા શિક્ષકોની ધરપકડ કરી છે. મદરેસાના શિક્ષકો પર સગીર વિદ્યાર્થીઓને માર મારવાનો અને તેમને ગોંધી રાખીને ત્રાસ આપવાનો આરોપ છે. 

પોલીસના જણાવ્યાં અનુસાર મદરેસાના 8 વિદ્યાર્થીઓ ઉદેપુર જતી ટ્રેનમાં મુસાફરો પાસેથી મદદ માંગીને ભાગી ગયા હતા. પ્રાંતિજ પોલીસે ત્રણ મદરેસા શિક્ષકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી. સગીર વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને કોઇને કોઇ કારણોસર માર મારવામાં આવતો હતો અને કેમ્પસની બહાર જવા દેવામાં આવતા ન હતા.

આરોપી મદરેસા શિક્ષકોની ઓળખ થઈ ગઈ છે. તેમના નામ મુફ્તી યુસુફ, મૌલવી મોહમ્મદ અનસ મેમણ અને મૌલવી મોહમ્મદ ફહાદ છે. પોલીસે જણાવ્યું કે આરોપી શિક્ષકો વિરુદ્ધ હુમલો, ખોટી રીતે બંધક બનાવવા અને કિશોર ન્યાય અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

મદરેસા શું છે ?

મદરેસા એક ઇસ્લામિક શૈક્ષણિક સંસ્થા છે, જ્યાં ઇસ્લામ શીખવવામાં આવે છે. તેમાં કુરાન, હદીસ, ઇસ્લામિક કાયદો (ફિકહ), અરબી ભાષા અને અન્ય ધાર્મિક વિષયોનો અભ્યાસ શામેલ છે. કેટલાક મદરેસામાં ગણિત, વિજ્ઞાન અને ભાષાઓ જેવા આધુનિક વિષયો પણ શીખવવામાં આવે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch