Thu,21 May 2026,4:22 am
Print
header

દ્વારકામાં શ્રમિક પરિવારના 3 બાળકો તળાવના પાણીમાં ડૂબ્યા, પરિવારને માથે આભ ફાટ્યું

  • Published By Panna Patel
  • 2026-04-15 09:48:21
  • /

દ્વારકાઃ ખંભાળિયા તાલુકાના દાત્રાણા ગામમા એક શ્રમિક પરિવારના 3 માસૂમ બાળકો તળાવમાં ડૂબી જતા શોકનો માહોલ છવાઈ ગયો છે. ગામના ખારાવાળી વિસ્તારમાં આવેલા તળાવ પાસે રમતા રમતા બાળકો અચાનક પાણીમાં ખાબક્યાં હતા. તેમના માતા-પિતા ખેતરમાં કામ કરી હતા, તે સમયે જ તેમના ત્રણ સંતાનો નજીકમાં આવેલા તળાવ પાસે પહોંચી ગયા હતા અને અચાનક પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તેમને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

આ દુર્ઘટનામાં 7 વર્ષીય બાળકી વૈશાલી અને 4 વર્ષીય બાળક વિકેશનું ઘટના સ્થળ જ મોત થયું છે. જ્યારે દોઢ વર્ષની બાળકીની હાલત ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. હાલ તેની સ્થિતિ નાજુક છે.

ઘટનાની જાણ થતાં જ ગામલોકો તાત્કાલિક તળાવ પાસે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. પરંતુ બે બાળકોને બચાવી શકાયા ન હતા. શ્રમિક પરિવાર એક સાથે બે સંતાનો ગુમાવતા દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch