Wed,15 July 2026,12:46 am
Print
header

કેનેડામાં ફાયરિંગ અને આગચંપી કેસમાં 3 ભારતીય યુવકો દોષિત જાહેર: કોર્ટે ફટકારી જેલની સજા

  • Published By
  • 2026-06-11 18:02:19
  • /
  • પ્રોજેક્ટ એશ્યોરન્સ ટીમની સતર્કતાથી આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા હતા
  • સીસીટીવી અને અન્ય પુરાવાને આધારે ધરપકડ કરાઈ હતી

ઓટાવા: કેનેડાના સરે શહેરમાં ફેબ્રુઆરી 2026માં થયેલા એક સનસનીખેજ ગોળીબાર અને આગચંપીના કેસમાં સ્થાનિક કોર્ટે ત્રણ ભારતીય યુવકોને દોષિત ઠેરવીને જેલની સજા ફટકારી હતી. સરે પ્રાંતીય કોર્ટમાં સુનાવણી દરમિયાન ત્રણેય આરોપીઓએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો હતો, જેના આધારે કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

આ ઘટના 1 ફેબ્રુઆરી 2026ના રોજ મોડી રાત્રે ઘટી હતી. સરેના ક્રેસન્ટ બીચ વિસ્તારમાં આવેલા ક્રેસન્ટ રોડ અને 132 સ્ટ્રીટ નજીક એક રહેણાંક મકાનની બહાર અંધાધૂંધ ફાયરિંગ થવાની અને આગ લાગવાની માહિતી સવારે 3:50 વાગ્યે પોલીસને મળી હતી. ઘટના સમયે સરે પોલીસ સર્વિસ (SPS)ની પ્રોજેક્ટ એશ્યોરન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હોવાથી પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને ઘેરી લઈને તપાસ શરૂ કરી હતી.

કેસની ગંભીરતાને જોતાં તપાસ SPSના મેજર ક્રાઈમ સેક્શનને સોંપવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળેથી મળેલા પુરાવા, સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓની પૂછપરછને આધારે ગણતરીના કલાકોમાં જ 28 એવેન્યું અને 140 સ્ટ્રીટ પાસેથી ત્રણ શંકાસ્પદ યુવકોને દબોચી લીધા હતા. પકડાયેલા આરોપીઓની ઓળખ 21 વર્ષીય હરજોત સિંહ, 19 વર્ષીય તરનવીર સિંહ અને 21 વર્ષીય દયાજીત સિંહ બિલિંગ તરીકે થઈ હતી. પ્રાથમિક તપાસમાં જ સ્પષ્ટ થયું હતું કે આ યુવકોએ એવા ભરચક વિસ્તારમાં ગોળીબાર કર્યો હતો જ્યાં નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાઈ શકે તેમ હતા.

કોર્ટ તરનવીર સિંહને બેદરકારીપૂર્વક ફાયરિંગ કરવાના મુખ્ય ગુનામાં કોર્ટે તેને સૌથી વધુ 5 વર્ષની જેલની સજા ફટકારી હતી. દયાજીત સિંહ બિલિંગને વિસ્ફોટક પદાર્થ ફેંકવાના ગુનામાં અદાલતે તેને 27 મહિનાની જેલની સજા ફટકારી હતી. હરજોત સિંહને વિસ્ફોટક મામલામાં દોષિત ઠેરવીને તેને 25 મહિનાની જેલની સજા સંભળાવવામાં આવી હતી. દયાજીત અને હરજોતની સજાના ગાળામાંથી તેમણે અગાઉ કસ્ટડીમાં વિતાવેલો સમય બાદ કરવામાં આવશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch