Sat,13 June 2026,9:03 am
Print
header

સાવરિયા સેઠ મંદિરમાં દાનનો વરસાદ.. 28 કરોડ રૂપિયા રોકડા, 70 કિલોથી વધુ ચાંદી આવી

  • Published By panna patel
  • 2025-09-16 14:41:51
  • /

માનતા પુરી થતા ભક્તો આપી રહ્યાં છે કરોડો રૂપિયાનું દાન 

રાજસ્થાનઃ ચિત્તોડગઢ જિલ્લામાં સ્થિત વિશ્વ પ્રખ્યાત સાવલિયા સેઠ મંદિરમાં ભક્તોએ ઉદારતાથી દાન આપ્યું છે. આ વખતે દાન પેટીમાંથી નવ રાઉન્ડની ગણતરી કરવામાં આવી હતી, જેમાં કુલ 28 કરોડ 62 લાખ 12 હજાર 206 રૂપિયાની રકમ મળી આવી હતી.

ગણતરીના પહેલા રાઉન્ડમાં ઠાકુરજીના ભંડારમાંથી 8 કરોડ 90 લાખ રૂપિયા નીકળ્યાં હતા. ગણતરીના બીજા રાઉન્ડમાં 4 કરોડ 60 લાખ રૂપિયા, ત્રીજા રાઉન્ડમાં 3 કરોડ 86 લાખ 50 હજાર રૂપિયા, ચોથા રાઉન્ડમાં 2 કરોડ 50 લાખ રૂપિયા અને પાંચમા રાઉન્ડમાં 2 કરોડ 10 લાખ રૂપિયા નીકળ્યાં હતા. આ પછી, જલઝુલાની એકાદશીના મેળાને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસ માટે ગણતરી બંધ કરવામાં આવી હતી. 

પછી ગણતરીના છઠ્ઠા રાઉન્ડમાં 84 લાખ, સાતમા રાઉન્ડમાં 42 લાખ, આઠમા રાઉન્ડમાં 17 લાખ 50 હજાર, ગણતરીના નવમા અને અંતિમ રાઉન્ડમાં 22 લાખ 12 હજાર 206 રૂપિયા અને મનીના ઓર્ડરમાંથી 4 લાખ રૂપિયા મળી આવ્યાં હતા. બધા તબક્કાઓની ગણતરીમાં, આ મહિને ઠાકુરજીના ખજાનામાંથી કુલ 28 કરોડથી વધુ રકમ પ્રાપ્ત થઈ છે. 

મંગળવારે ગણતરી બાદ આ મહિનાની ગણતરી પૂર્ણ થઈ છે. ઉપરાંત, ભગવાન શ્રી સાંવલિયા શેઠના ભંડારમાંથી 1 કિલો 270 ગ્રામ સોનું અને 70 કિલો ચાંદી મળી છે. ભગવાન શ્રી સાંવલિયા શેઠના ભંડારમાંથી, 1 કિલો 270 શ્રી સાંવલિયાજી મંદિર બોર્ડ ભેટ ખંડ કાર્યાલયને રોકડ અને મની ઓર્ડરના રૂપમાં 4 કરોડ 75 લાખ 33 હજાર 304 રૂપિયા, 565 ગ્રામ 590 મિલિગ્રામ સોનું, 73 કિલો 780 ગ્રામ ચાંદી ભેટ તરીકે મળી છે.

મેવાડનું પ્રખ્યાત કૃષ્ણ ધામ સાંવાલિયા સેઠ મંદિર ચિત્તોડગઢ જિલ્લાના મંડપિયામાં આવેલું છે. દેશભરના ભક્તો આ મંદિરમાં ઊંડી શ્રદ્ધા ધરાવે છે. અહીં દર વર્ષે અમાવસ્યા પહેલા ચતુર્દશીના દિવસે દાનપેટી ખોલવામાં આવે છે. દાનપેટીમાં કરોડો રૂપિયાનું દાન આવે છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch