Mon,13 April 2026,1:54 pm
Print
header

IAS મહિલા અધિકારીના ફાર્મહાઉસમાં જુગાર રમતા 18 લોકોની ધરપકડ, અનેક પોલીસ અધિકારીઓ સસ્પેન્ડ

  • Published By
  • 2026-03-12 09:52:09
  • /

ઇન્દોર: મધ્ય પ્રદેશના ઇન્દોર જિલ્લામાં પોલીસે એક મહિલા IAS અધિકારીના ફાર્મહાઉસ પર દરોડા પાડ્યાં હતા અને 18 લોકોની ધરપકડ કરી હતી. આ કેસના સંદર્ભમાં ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસને બાતમી મળી હતી કે ઇન્દોર શહેરથી લગભગ 50 કિલોમીટર દૂર આવેલા અવલીપુરા ગામમાં એક ફાર્મહાઉસમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યાં છે. મંગળવાર અને બુધવારની વચ્ચેની રાત્રે પોલીસે દરોડા પાડીને 18 લોકોને જુગાર રમતા પકડ્યા, જ્યારે 6 લોકો ભાગી ગયા હતા.

જુગારીઓ પાસેથી લાખો રૂપિયા રોકડા જપ્ત

પોલીસે ધરપકડ કરાયેલા વ્યક્તિઓ પાસેથી 30 મોબાઈલ ફોન, પત્તા અને રૂ. 13.68 લાખ રોકડા જપ્ત કર્યા છે. ફાર્મહાઉસનો મુખ્ય દરવાજો બંધ હતો, અને લોકો અંદર જુગાર રમી રહ્યાં હતા. પોલીસે જુગારીઓ સામે BNS અને જુગાર અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધ્યો છે. મુખ્ય આરોપી, જગદીશ રાઠોડ ઉર્ફે કુબડા, જેણે જુગારધામનું આયોજન કર્યું હતું, રણજીત ચૌધરી જે ફાર્મહાઉસનો રખેવાળ હતો અને અન્ય ઘણા લોકો ભાગી ગયા હતા. આ ફાર્મહાઉસ IAS અધિકારી વંદના વૈદ્ય અને તેમના પરિવારનું છે.

આરોપીની ધરપકડ બાદ IAS અધિકારીએ પત્ર લખ્યો

વંદના વૈદ્ય હાલમાં મધ્યપ્રદેશ સરકારના ફાઇનાન્સ ડેવલપમેન્ટ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર છે. આરોપીની ધરપકડ બાદ, વૈદ્યએ પોલીસને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે કેટલાક અજાણ્યા વ્યક્તિઓ તેમના પરિવારના ફાર્મહાઉસમાં ગેરકાયદેસર રીતે ઘૂસી ગયા હતા અને ત્યાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરી રહ્યાં છે. તેમને આ વ્યક્તિઓ પર ચોરીની શંકા છે. તેમણે માંગ કરી હતી કે તેમની સામે અલગથી ફોજદારી કેસ દાખલ કરવામાં આવે.

માનપુર પોલીસ સ્ટેશનના ઘણા અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં

આ કેસની તપાસ કરી રહેલા ઇન્દોર ગ્રામીણ પોલીસ અધિક્ષક યાંગચેન દોલકર ભૂટિયાએ જણાવ્યું કે, આઈએએસ અધિકારીના પત્રની તપાસ કરવામાં આવશે. લોકો ફાર્મહાઉસમાં ગેરકાયદેસર રીતે કેવી રીતે પ્રવેશ્યા તેની તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. માનપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ, બીટ સબ-ઇન્સ્પેક્ટર અને એક સહાયક સબ-ઇન્સ્પેક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch