Sat,08 August 2026,10:25 pm
Print
header

પાકિસ્તાનમાં શાંતિ રેલી દરમિયાન થયેલા પ્રચંડ વિસ્ફોટમાં 14 લોકોનાં મોત, ઘણા લોકો ઘાયલ

  • Published By Panna Patel
  • 2026-08-03 09:58:31
  • /

ઇસ્લામાબાદઃ રવિવારે ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં શાંતિ રેલી દરમિયાન થયેલા વિસ્ફોટમાં 14 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ખૈબર પખ્તુનખ્વાના અધિકારીઓના જણાવ્યાં અનુસાર, સ્વાત જિલ્લાના કાબલ શહેરમાં સ્વાત શાંતિ રેલીમાં વિસ્ફોટ થયો હતો, 14 લોકો માર્યા ગયા હતા, જ્યારે લગભગ 15 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

સ્વાત અમન જિર્ગા રેલીમાં આત્મઘાતી હુમલાની શંકા

સ્વાત રેલીમાં થયેલો વિસ્ફોટ આત્મઘાતી હુમલો હોવાનું જણાય છે. જો કે, તાત્કાલિક કોઈ સત્તાવાર પુષ્ટિ મળી નથી. સ્વાતમાં શાંતિ રેલીનું આયોજન સ્થાનિક આદિવાસી પરિષદ સ્વાત અમન જિર્ગા દ્વારા કરવામાં આવ્યું હતું. આ રેલીનો હેતુ પ્રદેશમાં શાંતિની માંગ કરવાનો હતો. જો કે, હજુ સુધી કોઈ આતંકી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી.

છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાતમાં સુરક્ષા પરિસ્થિતિ બગડી છે

છેલ્લા કેટલાક મહિનાઓથી સ્વાતમાં સુરક્ષા પરિસ્થિતિ બગડી છે. બચાવ ટીમોએ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને નજીકની હોસ્પિટલોમાં દાખલ કર્યા હતા, જ્યારે પોલીસ અને અન્ય કાયદા અમલીકરણ એજન્સીઓએ વિસ્તારને ઘેરી લીધો હતો.

એક અઠવાડિયા પહેલા ખૈબર પખ્તુનખ્વામાં એક વિસ્ફોટ થયો હતો

અગાઉ, 26 જુલાઈના રોજ, ખૈબર પખ્તુનખ્વામાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકો માર્યા ગયા હતા. અહેવાલો અનુસાર, આ ઘટના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બાજૌર જિલ્લામાં બની હતી. સલારઝાઈ તહસીલમાં તાલી ડેમ નજીક થયેલા વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ ગુલામ અને સુલેમાન કારી તરીકે થઈ છે, જે બાજૌરના રહેવાસી છે.

ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં અશાંતિ કેમ છે ?

ઉત્તરપશ્ચિમ પાકિસ્તાનમાં આવેલો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત છેલ્લા કેટલાક વર્ષોથી અશાંતિનો સામનો કરી રહ્યું છે. તેનું કારણ આતંકવાદી હિંસા, અફઘાન લડવૈયાઓની સરહદ પારની હિલચાલ અને પાકિસ્તાની સૈનિકો સાથેની તેમની અથડામણ છે. આ પ્રદેશમાં રહેતી ઘણી વસ્તી ડ્યુરન્ડ લાઇનને પણ ઓળખતી નથી, જે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની સરહદ દર્શાવે છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch