અમદાવાદઃ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાના 125 પીડિતોની ઓળખ અત્યાર સુધીમાં ડીએનએ ટેસ્ટ દ્વારા કરવામાં આવી છે અને તેમાંથી 64 ના મૃતદેહોને તેમના પરિવારોને સોંપવામાં આવ્યાં છે, જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ સમાવેશ થાય છે. તેમના ગઇકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતા.
12 જૂનના રોજ બપોરે 1:39 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભર્યાની સેકન્ડોમાં જ ક્રેશ થયેલા એર ઈન્ડિયા બોઈંગ ડ્રીમલાઈનર વિમાન AI-171 માં રૂપાણી પણ સવાર હતા.
અકસ્માતમાં મોટાભાગના મૃતદેહો ખરાબ રીતે બળી ગયા હતા, તેમની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યાં છે. સિવિલ હોસ્પિટલના જણાવ્યાં અનુસાર અત્યાર સુધીમાં 125 ડીએનએ ટેસ્ટ મેચ થયા છે અને આમાંથી 64 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યાં છે.
તેમણે મૃતદેહો સાથે ડીએનએ નમૂનાઓ મેચ કરવાની પ્રક્રિયામાં થોડો વિલંબ થવાને કારણે શોકગ્રસ્ત પરિવારને ન ગભરાવાની અપીલ કરી હતી. અમે આ પ્રક્રિયા શક્ય એટલી વહેલી તકે પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ.
અકસ્માત પછી છેલ્લા ચાર દિવસથી, ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ટીમ મૃતકોની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ અને મેચિંગના જટિલ કાર્યમાં દિવસ-રાત રોકાયેલી છે.
આ 54 સભ્યોની DNA નિષ્ણાત ટીમમાં 22 મહિલાઓનો સમાવેશ થાય છે. FSL ટીમના અથાક પ્રયાસોને કારણે મૃતકોના સંબંધીઓને કોઈપણ વિલંબ વિના મૃતદેહો સોંપવામાં આવી રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ભાવનગરના પાવઠી ગામે કાર લોક થઈ જતાં ગૂંગળામણના કારણે સગા ભાઈ-બહેનના મોત | 2025-07-16 11:31:00
મહારાષ્ટ્રઃ પરભણીમાં ચાલતી બસ મહિલાએ બાળકને જન્મ આપ્યા બાદ બારીમાંથી બહાર ફેંકી દીધું - Gujarat Post | 2025-07-16 10:04:03
ચેતવણી જનક કિસ્સોઃ જેતપુરમાંથી વિધર્મી યુવક યુવતીનું અપહરણ કરીને હૈદરાબાદ લઈ ગયો, નિકાહ કરી અત્યાચાર ગુજાર્યો - Gujarat Post | 2025-07-16 09:55:33
સુરતમાં પાટીદાર શિક્ષિકાના આપઘાત મામલે થયો મોટો ખુલાસો, મૃતકના પિતાને પણ આપી હતી ધમકી | 2025-07-16 09:46:37
ગાઝામાં હમાસ છેલ્લા શ્વાસ ગણી રહ્યું છે, ઇઝરાયલના તાજેતરના હવાઈ હુમલામાં ફરી 93 લોકોના મોત | 2025-07-16 09:12:28
પુત્રના મોહમાં ક્રૂર બન્યો પિતા, કપડવંજમાં સાત વર્ષની જીવતી દીકરીને કેનાલમાં ફેંકી દીધી | 2025-07-15 14:53:52
સાબર ડેરી સામે વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે ટીયર ગેસના છેડ છોડ્યાં હતા, એક પશુપાલકનું મોત- Gujarat Post | 2025-07-15 09:46:59
ATS એ નકલી ગન લાયસન્સમાં 7 ની ધરપકડ કરી, હજુ 100 થી 150 નકલી લાઈસન્સ હોવાની શક્યતા | 2025-07-14 18:52:18
કોણ છે અર્પિત સાગર ? આ મહિલા IAS અધિકારીએ હાઇવે પર ખાડાઓ માટે NHAI અધિકારીને દંડ ફટકાર્યો | 2025-07-14 09:09:12
અમદાવાદમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સીએ તેહમુલ સેઠનાની 6.80 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી | 2025-07-14 08:53:08
રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ, વિમાનના અકસ્માત પહેલા શું થયું હતું ? છેલ્લી ઘડીએ પાઇલટ્સ વચ્ચે આ વાત થઇ હતી. | 2025-07-12 09:03:13
ચાંદખેડામાં 14મા માળેથી મોતની છલાંગ લગાવનારી યુવતીના આપઘાત કેસમાં નવો ખુલાસો- Gujarat Post | 2025-07-08 10:50:20